Monday, October 28, 2013

ચિંતન

આજની સૌથી દુ:ખદ વાત એ છે કે ગુજરાતની કેટલીયે શાળાઓ આચાર્ય વગરની છે. છેલ્લા બે થી ત્રણ વર્ષથી આચાર્યની ભરતી થઈ શક્તી નથી. ભરતી બોર્ડ દ્વારા થયેલ ભરતીમાં પણ ઘણી જગ્યાએ આચાર્યો હાજર થઈ શકેલ નથી. કયા કારણથી આચાર્યની ભરતી થઈ શક્તી નથી તેનું અધિકારીઓએ ચિંતન કરવાની જરૂર છે. 

આ ઉપરાંત છેલ્લા કેટલાયે સમયથી ઉચ્ચત્તરમાં શિક્ષકો વિના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નામૂ - ગણિત - જીવવિજ્ઞાન - રસાયણ  વિજ્ઞાન  - ભૌતિક વિજ્ઞાન ના શિક્ષકો વિના કેવી રીતે વિદ્યાર્થીઓ  અભ્યાસ કરતા હશે તે વિચારવા જેવું છે.
તાજેતરમાં જૂન ૨૦૧૩ ની અસરથી નવા વર્ગા મંજૂર થયા છે પરંતુ શિક્ષકો નથી. ભરતી બોર્ડ દ્વારા શિક્ષકોની ભરતી માટે અરજીઓ મંગાવેલ છે પરંતુ બે થી ત્રણ માસ વિત્યા હોવા છતાં કેમ મેરીટ લિસ્ટ બહાર પડ્તું નથી ? અધિકારીઓ નિયમોનું અર્થઘટન કરી ભરતી વિલંબમાં નાખે છે. કમ્પ્યૂટરના જમાનામાં ત્રણ માસ વિતવા છતાં મેરીટ જાહેર ન થાય તે વાઈબ્રન્ટ  ગુજરાતમાં હાસ્યાસ્પદ છે.  

કોઈપણ ભરતીમાં વારંવાર કોર્ટ મેટર બનતી હોય એનો મતલબ એવો હોઈ શકે કે વહિવટમાં અધિકારીઓ દ્વારા નિયમો - નિતીઓમાં પારદર્શિતા હોતી નથી.  કોઈક ભરતીમાં ઓરિજનલ સર્ટીફિકેટ મેળવી લેવાય છે તો બીજી ભરતીમાં સર્ટીફિકેટ ઉમેદવારને આપી દેવાય છે. કોઈક ભરતીમાં ઉચ્ચત્તરમાં M.Phil ના ગુણ ગણાય છે તો કોઈક ભરતીમાં M.Ed ના ગુણ ગણાય છે.  ટાટના પ્રશ્નપત્રોમાં અસંખ્ય ભૂલો થાય છે. જવાબદાર પેપર સેટર પર કંઈ પગલાં ભરાતા નથી.
ટેટ કે ટાટમાં પરીક્ષા એકજ છે - પ્રશ્નપત્ર એકજ હોય છે છતાં બિનઅનામત ઉમેદવાર માટે પાસિંગ ધોરણ  ૯૦ ગુણ જ્યારે અનામત ઉઅમેદવાર માટે ૮૨ ગુણ છે. નોકરીમાં અનામત છે તે સમજી શકાય તેમ છે પરંતુ  પરીક્ષામાં અનામત તે  સમજી શકાતું નથી. કાલે કોઈ ધોરણ ૧૦ તથા ૧૨ ની જાહેર પરીક્ષામાં પાસિંગ ધોરણ અલગ અલગ રાખવાનું કહેશે તો શું તેમાં ફેરફાર થશે ?
અધિકારીઓ દ્વારા છાસવારે નિયમોમાં બદલાવ થાય છે જેના કારણે કોર્ટ મેટર બને છે અને ભરતી વિલંબમાં નંખાય છે. શિક્ષિત  બેકારોની મશ્કરીઓ થાય છે. આમાં વિદ્યાર્થીઓનો શો વાંક ?
 અભ્યાસ માટે શિક્ષકોની કાગડોળે  વર્ગમાં રાહ જોતા વિદ્યાર્થીઓનો એવો તો શો ગુનો છે કે તેમને દરરોજ શિક્ષક વિના પ્રોક્ષી તાસ સહન કરવો પડે. 

કેળવણી મંડળની મોટાભાગની ગ્રાંટ અવેજી શિક્ષકની ભરતી કરી તેના પગારમાં જાય છે તેવું ઘણા મંડળના પ્રમુખ/મંત્રી દ્વારા જાણવા મળેલ છે. 
એક શાળાના પ્રમુખના મંતવ્ય મુજબ  સરકારે ૧૧ વિજ્ઞાનપ્રવાહનો વર્ગ આપેલ છે પરંતુ એક પણ ફાજલ કે રેગ્યુલર શિક્ષક આપેલ નથી જેના કારણે  ચાર અવેજી શિક્ષકના દર માસના ૧૨ થી ૧૫૦૦૦ લેખે મંડળને મહિને ૫૦૦૦૦ ખર્ચ થાય છે. છેલ્લા ઘણા સમયથી આવા ખર્ચના કારણે મંડળની કરોડરજ્જુ વાંકી વળી ગઈ છે.

શિક્ષકસંઘો તથા બોર્ડની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોએ આ અંતર્ગત ધારદાર રજૂઆત કરવી જોઈએ. ફક્ત પગાર વધારો માંગવો તે મુખ્ય પ્રાથમિકતા નથી. વર્ગમાં વિદ્યાર્થીઓને શિક્ષક તથા શાળાને આચાર્ય મળી રહે તે સૌથી મહત્વની પ્રાથમિકતા છે.

આ મારા અંગત વિચારો છે કદાચ કોઈ સંમત ન પણ હોય. 
courtesy : http://jitugozaria.blogspot.in/ 

_________________________________________________


Gujarat State Road Transport Corporation  Driver Bharti...

Online Application Start from : 30/10/2013
Last Date for application : 29/11/2013


for more details click here : http://www.gsrtc.in/site/


No comments:

Post a Comment